Vicharonu Vundavan: Satsang Books

·
Rajkot Gurukul
Libro electrónico
253
Páginas
Las calificaciones y opiniones no están verificadas. Más información

Acerca de este libro electrónico

પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીસ્વામિનારાયણ મહાપ્રભુએ પોતાના પરમહંસોને સાહિત્ય, સંગીત, કાવ્ય, શિલ્પ, સ્થાપત્ય, લેખન, ચિત્ર, નૃત્ય વગેરે વિવિધ લલિત કળાઓમાં પારંગત કરીને ગુરુ રામાનંદ સ્વામીના નાનકડા ઉદ્ધવ સંપ્રદાયને આગળ ધપાવીને વિશ્વના વિશાળ ફલક પર મૂકીને સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે સુપ્રસિદ્ધ કર્યો. એટલું જ નહિ એની વિશેષ પુષ્ટિ માટે સદ્‌. મુક્તાનંદ સ્વામી આદિક નંદ સંતોને સંસ્કૃત તેમજ ગુજરાતીમાં ગદ્ય-પદ્ય સાહિત્ય રચવાની પ્રેરણા કરી. કવિ સંતોને પણ પ્રેમલક્ષણા ભક્તિસભર કીર્તનો રચવાની ખાસ આજ્ઞા આપી. પરિણામે વચનામૃત, સત્સંગિજીવન, ભક્તચિંતામણિ વગેરે સદ્‌ગ્રંથો રચાયા અને હજારો કીર્તનો પણ રચાયાં. પોતે પણ આશ્રિતો માટે આચારસંહિતા સમી શિક્ષાપત્રી આલેખી. આથી સંપ્રદાયમાં સાહિત્યનો સાગર રચાયો. આજે તો એ સાહિત્ય સર્વ આશ્રિતજનોને ધર્મપાલનની દૃઢતા સાથે ભક્તિભાવથી ભીંજવી રહેલ છે.


સંપ્રદાયની પુષ્ટિ માટે ઈષ્ટદેવ શ્રીહરિ અને સાહિત્યપ્રેમી સંતોએ વિપુલ પ્રમાણમાં સાહિત્ય સર્જન કર્યું. આ સત્સંગ સાહિત્યના સવિશેષ પ્રચાર પ્રસાર માટે સાંપ્રદાયિક સાહિત્ય પ્રચારના હિમાયતી પૂ. સદ્‌. શાસ્ત્રીજી મહારાજે ૧૯૫૩માં રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલમાં મુદ્રણાલયની શુભ શરુઆત કરી, જેને પરિણામે સત્સંગના સંસ્કૃત તેમજ પ્રાકૃત ભાષાના વિવિધ ગ્રંથો તેમજ સદ્‌વિદ્યા માસિકનું પ્રકાશન થવા લાગ્યું. પ્રિન્ટિંગ અને બાઈન્ડીંગમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી આજે અનેક સદ્‌ગ્રંથોનું સુંદર, સુઘડ ને ફોર કલરમાં નયનરમ્ય પ્રકાશન થાય છે.


પૂ. શાસ્ત્રીજી મહારાજના ઉત્તરાધિકારી પૂ. સદ્‌. સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી દેશ-વિદેશમાં વિસ્તરેલ ૩૫ શાખાઓની જવાબદારી સંભાળવા સાથે વિવિધ સદ્‌ગ્રંથોનું વાચન કરીને સત્સંગ પોષક અને પ્રેરણાદાયી વિચારોનું તારણ કરીને જીવનસૂત્રો અને જનઉપયોગી બળપ્રેરક લેખો લખતા રહે છે. એમના લેખો ‘સદ્‌વિદ્યા’ માસિક અને અન્ય સામયિકોમાં પણ પ્રકાશિત થતા રહે છે.


સત્સંગ સમાજને ઉપયોગી સાહિત્ય વાંચવા મળે, સત્સંગની પુષ્ટિ થાય એવા શુભ હેતુથી એમના લેખોનું સંકલન કરીને સંત સમાગમ, સત્સંગસુધા, સંતકી સોબત, જીવપાથેય, જીવનસુમન, સાચો વારસો, જીવનજ્યોત, જીવન જીવવાની કળા, પ્રેરણાના પીયૂષ, સત્સંગ ચિંતામણિ, દૃષ્ટાંત સિદ્ધાંત આદિક તથા અમૃતનું આચમન, સત્સંગ સાગરનાં મોતી સૂત્રાવલિ વગેરે પુસ્તકો સ્વામિનારાયણ ગુરુકુલ પ્રકાશન વિભાગ દ્વારા પ્રકાશિત થયાં છે, તેમાં ‘વિચારોનું વૃંદાવન’ પુસ્તકનો ઉમેરો કરીએ છીએ.


પૂ. ગુરુવર્ય મહંત સ્વામીના લેખો સમાજ જીવનનું વાસ્તવિક વિવરણ, જીવનની ચડતી-પડતી, એમાં આવતાં સુખ-દુઃખમાં સમજણ કેળવવાની રીતો સાથે સૂત્રાત્મક, સરળ અને સુગમ ભાષામાં એ રજૂ થાય છે, જે સહુને સદ્‌બોધ આપે છે, એટલું જ નહીં પણ સંત સમાગમનો પ્રત્યક્ષ લાભ મળ્યાની પ્રતીતિ કરાવે છે. કારણ કે, એમની ભાષાકીય રજૂઆત લોકભોગ્ય છે અને એમાં બંધબેસતાં દૃષ્ટાંતેયુકત શૈલી તે તો વર્તનમાં પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવે છે.

Califica este libro electrónico

Cuéntanos lo que piensas.

Información de lectura

Smartphones y tablets
Instala la app de Google Play Libros para Android y iPad/iPhone. Como se sincroniza de manera automática con tu cuenta, te permite leer en línea o sin conexión en cualquier lugar.
Laptops y computadoras
Para escuchar audiolibros adquiridos en Google Play, usa el navegador web de tu computadora.
Lectores electrónicos y otros dispositivos
Para leer en dispositivos de tinta electrónica, como los lectores de libros electrónicos Kobo, deberás descargar un archivo y transferirlo a tu dispositivo. Sigue las instrucciones detalladas que aparecen en el Centro de ayuda para transferir los archivos a lectores de libros electrónicos compatibles.